વિશ્વાસ અને પરમેશ્વરની ઈચ્છા
પરમેશ્વર તેમના બાળકોને જરૂરિયાત, ગેરફાયદા અને નબળાઈના સ્થાને મૂકી તેમના હૃદયની કસોટી કરે છે
એકલા એલિયાએ 850 ખોટા પ્રબોધકો સામે લડ્યા; છોકરા દાઉદે વિશાળ ગોલ્યાથને હરાવ્યો; ગિદિયોનના 300 યોદ્ધાઓ 1,35,000 મિદ્યાની સેના સામે લડ્યા; ઇસ્રાએલીઓએ 40 વર્ષ અરણ્યમાં દુઃખ સહ્યું, અને આદ્ય મંડળીના સંતોએ સતાવણી અને શહીદી વેઠી સુવાર્તા ફેલાવી. વિપત્તિમાં તેમના હૃદય શુદ્ધ થયા, વિશ્વાસ પરમેશ્વરે માન્ય કર્યો, અને અંતે તેઓ વિજયની મહિમા પામ્યા.
આરંભથી અંત જોનાર પરમેશ્વર પોતાના બાળકોને કેવી રીતે આશિષ આપે છે
પરમેશ્વરે પહેલેથી જ જોયું હતું કે તેમના બાળકો દુઃખ સહેશે અને શેતાનથી અડચણ પામશે. તો પણ, શુદ્ધીકરણ દ્વારા, તેમણે સૌ પ્રથમ તેમનામાં ઈશ્વર-ભય, વિશ્વાસ, આશા, પ્રે મ અને દુષ્ટતાને નકારી સારાને અનુસરતી ભાવના કેળવી, અને પછી પોતાની સર્વશક્તિમાન સામર્થ્યથી ચમત્કાર કર્યા.
રૂપાને ગાળવા માટે કુલડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; પણ અંત:કરણને પારખનાર યહોવા છે.
નીતિવચન 17:3
આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.
યશાયા 46:10
દૃશ્ય સંખ્યા76
#વિશ્વાસ