મહત્વહીન વસ્તુઓ દ્વારા પૂર્ણ થયેલ પરમેશ્વરનું મહાન કાર્ય
જેઓ પરમેશ્વરના હાથમાં છે, તેઓ મહાન કાર્યના આગેવાન બની શકે છે
જેમ પરમેશ્વરે લાલ સમુદ્રને વિભાજીત કરવા અને ખડકમાંથી પાણી નીકાળવા માટે ઘેટાંપાળકની લાકડીનો ઉપયોગ કર્યો,
તેમ પરમેશ્વરના હાથમાં જે કંઈ છે તે હંમેશા મહાન શક્તિ પ્રદર્શિત કરે છે. આજે, ચર્ચ ઓફ ગોડ, જેને સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવાનું મિશન પ્રાપ્ત થયું છે,
માત્ર વ્યક્તિગત પ્રયત્નોથી નહિ, પણ પરમેશ્વરની શક્તિ દ્વારા વિશ્વવ્યાપી સુવાર્તા પૂર્ણ કરી રહ્યું છે.
પરમેશ્વર જે ધોરણ પસંદ કરે છે તે ક્ષમતા નથી, પરંતુ પરમેશ્વર પર પૂર્ણ વિશ્વાસ છે
સામસૂનની જેમ જેમણે ગધેડાના જડબાના હાડકાથી એક હજાર પલિસ્તીઓને પરાજિત કર્યા, તે નાના છોકરા દાઉદની જેમ જે વિશાળ ગોલ્યાથ સામે લડ્યો,
અને પિતર, યોહાન અને યાકૂબની જેમ જે માછીમાર હતા, આ યુગમાં, તે લોકો જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે
અને સ્વર્ગના રાજ્યની આશા રાખે છે, એક મહાન ઇતિહાસ રચી રહ્યા છે.
માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને,
ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી. પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે,
અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે. . . . કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.1 કરિંથીઓ 1:26–29
દૃશ્ય સંખ્યા65
#પરમેશ્વર પર અવલંબન
#પરમેશ્વરની શક્તિ
#પ્રચાર