પ્રેરિત પાઉલ એક મહાન પ્રબોધક બન્યા કારણ કે તેમણે ત્રીજા સ્વર્ગની મહિમા જોઈ હતી. વિશાળ બ્રહ્માંડમાં જેને માનવજાતિ સમજી શકતી નથી, પરમેશ્વરે આપણા માટે એક મહિમામય ભવિષ્ય તૈયાર કર્યું છે. આ કારણે તેમણે આપણને પૃથ્વીને નહિ, પણ બ્રહ્માંડને, એટલે કે સ્વર્ગના રાજ્યને જોવા માટે એક વ્યાપક દ્રષ્ટિકોણ રાખવા બોલાવ્યા છે.
આપણે સ્વર્ગના રાજ્યની મહિમા અને ત્યાં આપણી રાહ જોતા ઉજ્જવળ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને આજની મુશ્કેલીઓ પર વિજય મેળવવો જોઈએ. જો આપણે સ્વર્ગના રાજ્ય પર વિશ્વાસ કરવામાં નિષ્ફળ જઈશું, તો આપણે અંતે અસ્થાયી દુઃખો વચ્ચે આપણો વિશ્વાસ ગુમાવી દઈશું અને સત્યને ત્યાગી દઈશું. જોકે, જો આપણે સ્વર્ગના રાજ્યની વાસ્તવિકતાને સાચે જ સમજીએ, તો આપણો વિશ્વાસ દિવસે દિવસે વધશે, અને આપણને તેની મહિમામાં ભાગ લેવા માટે સક્ષમ બનાવશે.
દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. રોમનોને પત્ર 8:6
કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે તેની આશા કેમ રાખે? એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ. રોમનોને પત્ર 8:24–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ